ચમત્કારના અંશો

પ્રભુજીના અનેક ચમત્કારો છે. પ્રભુજી પુનઃ કટારિયાજી પધારતા ગામના ખારા પાણી મીઠા થયા.

બીજો ચમત્કાર વિ.સં. ૧૯૮૮માં તીર્થની નિશ્રામાં વિદ્યાર્થીઓને રહેવા જમવાની સગવડ સાથે શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલયનો પ્રારંભ થયો. જેમાં આજ પર્યંત હજારો બાળકોએ વિદ્યાભ્યાસ કરી, આગળ આવ્યા.

આ પહેલા જેમના વડીલો સામાન્ય કક્ષાના રોજગારોથી ગુજરાન ચલાવતા. તેઓ તથા તેમના બાળકોએ આ તીર્થના પ્રભુજીની પુજા ભક્તિ કરી પાયરી અને સમૃધ્ધીને વર્યા છે. આ પ્રભુજીની કૄપા છે. ઈતર કોમનાં ગામના બધા જ કુટુંબો સુખી – સાધન – સંપન્ન છે. આવા અનેક અપ્રસિધ્ધ ચમત્કારો છે. જેનું વર્ણન અહીં શક્ય નથી. અહી પધારો અને અનુભવો કરો. મનવાંછીત ફળ પ્રાપ્ત કરો.